ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝ 2022 કોવિડ-19 વોરિયર્સને એનાયત
- વર્ષ 2022ના ‘ઇન્દિરા ગાંધી પ્રાઇઝ ફૉર પીસ, ડિસઆર્મામેન્ટ એન્ડ ડેવલપમેન્ટ’પુરસ્કારને ભારતમાં કોવિડ-19 વૉરિયર્સના પ્રતિનિધિઓ તરીકે નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)અને ટ્રેન્ડ નર્સિસ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (TNAI)ને સંયુક્તપણે એનાયત કરવામાં આવ્યું છે.
- નોંધ : વર્ષ 2021માં આ પુરસ્કાર ‘પ્રથમ’નામના શિક્ષણ પર કેન્દ્રિત બિન-સરકારી સંગઠન (NGO)ને એનાયત કરવામાં આવ્યો હતો.
ઇન્દિરા ગાંધી પ્રાઇઝ ફોર પીસ, ડિસઆર્મામેન્ટ એન્ડ ડેવલપમેન્ટ :-
- વર્ષ 1986માં ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.
- આ પુરસ્કાર દર વર્ષે આંતરરાષ્ટ્રીય શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસમાં યોગદાન આપનારા લોકો કે સંગઠનોને બિરદાવવા માટે એનાયત કરવામાં આવે છે.
- આ પુરસ્કારરૂપે રૂ. 25 લાખનું રોકડ ઇનામ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.