ચંદ્રવદન ચીમનલાલ મહેતા (ઈ.સ.૧૯૦૧-૧૯૯૧)
- GPSC 3 General
ગુજરાતી સાહિત્યના સમર્થ નાટ્યકાર, કવિ અને અવેતન રંગભૂમિના આધપ્રવર્તક છે. તેમનો જન્મ સુરતમાં થયો હતો. મુખ્યત્વે નાટયકાર તરીકે વધુ પ્રખ્યાત છે.
આગગાડી, સંતાકૂકડી, રમકડાંની દુકાન એમના જાણીતા નાટકો છે. બાંધ ગઠરિયાની અગિયાર ગ્રંથોની શ્રેણીમાં એમના આત્મ કથાનાત્મક નિબંધો છે. ઈ.સ.૧૯૭૮ માં ગુજરાતી સાહિત્યના પ્રમુખ, ઈ.સ.૧૯૩૬ માં રણજિતરામ સુવર્ણચંદ્રક, આગગાડી માટે નર્મદચંદ્રક અને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો એવોર્ડ મળેલ છે.
(21) જયોતીન્દ્ર દવે : (ઈ.સ.૧૯૦૧-૧૯૮૦)
જ્યોતીન્દ્ર દવે એટલે વિદ્વત્તા અને હાસ્યનો વિનિયોગ. ગુજરાતી સાહિત્યના ઉત્તમ હાસ્યલેખક તરીકે પ્રસિધ્ધ છે. તેમનો જન્મ સુરતમાં થયો હતો. રંગતરંગ ભાગ – ૧ થી ૬, હાસ્યતરંગ, પાનનાં બીડાં, રેતીની રોટલી, જયોતીન્દ્ર તરંગ એમના જાણીતા હાસ્ય નિબંધ સંગ્રહો છે. ગુજરાતી સાહિત્યના અદ્વિતીય અણનમ હાસ્યકાર છે, છત્રી અને ખુરશી જેવા જડપાત્રો પર પાનાં ભરીને હાસ્યરસિક લખાણો લખી લોકોને હસાવ્યા છે. ઈ.સ.૧૯૪૧ માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ઈ.સ.૧૯૬૬ માં સુરતમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા છે. જ્યોતીન્દ્ર દવે એટલે વિદ્વતા અને હાસ્યનો વિનિયોગ