પ્રાકૃતિક રચના : દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ
- GPSC 3 Subject
આ પ્રદેશ ત્રિકોણાકારે વિસ્તરેલો છે.
2.3 - દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ :
- ઉત્તરના મેદાની પ્રદેશની દક્ષિણે આ પ્રદેશ આવેલો
છે.
- આ પ્રદેશ ત્રિકોણાકારે વિસ્તરેલો છે.
- તે ખૂબ જૂના અને સખત ખડકનો બનેલો છે.
- તેનો મોટો ભાગ દક્ષિણ ભારતમાં આવેલો હોવાથી તે 'દક્ષિણ
ભારતનો ઉચ્ચ પ્રદેશ' પણ કહેવાય છે.
- માળવાના ઉચ્ચપ્રદેશના વાયવ્ય ભાગમાં અરવલ્લીની
ગિરિમાળા આવેલી છે.
- આ ભારતની સૌથી જૂની ગિરિમાળા છે. તેમાં આબુ પર્વત
આવેલો છે.
- ગુરૂશિખર એનું સૌથી ઉંચુ (૧૭રર મીટર) શિખર છે.
- માળવાના ઉચ્ચપ્રદેશની દક્ષિણે વિંધ્યાંચળની
ગિરિમાળા આવેલી છે.
- વિંધ્યાચળમાંથી નીકળતી ચંબલ અને બેતવા નદીઓ ઉત્તર
તરફ વહી યમુનાને મળે છે.
- વળી, દક્ષિણમાં મૈકલ પર્વતમાંથી નીકળતી શોણ નદી પણ ઉત્તર
તરફ વહી ગંગાને મળે છે.
- આ નદીઓના વહેણ પરથી જણાય છે કે માળવાના
ઉચ્ચપ્રદેશનો ઢોળાવ ઉત્તર તરફનો છે.
- દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં ઈશાન ભાગમાં તે 'છોટા
નાગપુરનો ઉચ્ચપ્રદેશ' કહેવાય છે.
- જયારે તેનો એક દક્ષિણનો ભાગ 'કર્ણાટકના
ઉચ્ચપ્રદેશ' તરીકે ઓળખાય છે. દખ્ખણના ઉચ્ચપ્રદેશની ઉત્તરે
સાતપુડા, મહાદેવ મૈકલ અને રાજમહાલના ડુંગરો આવેલા છે.
- સાતપુડા અને વિંધ્યાચળની ગિરિમાળાઓ એકબીજાને લગભગ
સમાંતર છે.
- મહાદેવ પર્વતમાં પંચમઢી (૧૩પ૦ મીટર) અને રાજમહલમાં
પારસનાથ (૧૩૬૬ મીટર) શિખરો આવેલા છે.
- આ ઉચ્ચપ્રદેશની પશ્ચિમે પશ્ચિમઘાટ અને પૂર્વે પૂર્વ
ઘાટની ગિરિમાળાઓ આવેલી છે.
- પશ્ચિમઘાટની ગિરિમાળા ઊંંંચી અને લગભગ અતૂટ છે.
તેની સરેરાશ ઊંંચાઈ આશરે ૧૦૭૦ મીટર જેટલી છે.
- આ ગિરિમાળામાં કળસુબાઈ (૧૬૪૬ મીટર) અને મહાબળેશ્વર
(૧૪૩૮ મીટર) મુખ્ય શિખરો આવેલા છે.
- થોરઘાટ, ભોરઘાટ અને પાલઘાટ આવેલા છે.
- આ ઉચ્ચપ્રદેશની પૂર્વ બાજુએ આવેલી પૂર્વઘાટની
ગિરિમાળા તૂટક છે.
- તેની સરેરાશ ઉંચાઈ આશરે ૪પ૦ મીટર જેટલી છે.
- દક્ષિણ ભારતની પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી ગોદાવરી, કૃષ્ણા
અને કાવેરી વગેરે નદીઓએ આ પર્વતમાળાને રહેવા દીધી નથી.
- દક્ષિણે નીલગિરિ પર્વત પાસે પશ્ચિમ ઘાટ અને
પૂર્વઘાટની ગિરિમાળાઓ એકબીજામાં ભળી જાય છે.
- નીલગિરિ પર્વતનું ઉંચુ શિખર દોદાબેટ્ટા (ર૬૩૭ મીટર)
છે.
- નીલગિરિ દક્ષિણ છેડે કોર્ડેમમની ટેકરીઓ આવેલી છે.
- દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશનો કેટલોક ભાગ લાવાના ખડકોના
થરોનો બનેલો છે.
- આ ખડકોમાંથી બનેલી કાળી અને ચીકણી જમીન ખૂબ જ
ફળદ્રુપ ગણાય છે.
- કપાસ અને શેરડીની ખેતી માટે બહુ જ અનૂકુળ છે. તેનો
કેટલોક ભાગ ખનીજ સંપત્તિથી ભરપૂર છે.
- તાંબુ, સીંસું, સોનું, મેંગેનીઝ, અબરખ, કોલસો, લોખંડ વિગેરે વિવિધ ખનીજો અહીંથી મળી આવ્યા છે.
- ભારતના પૂર્વ અને પશ્ચિમ દરિયા કિનારે સાંકડા
મેદાનો આવેલા છે.
- આથી, આ મેદાનોને 'પૂર્વકિનારાનું મેદાન' અને 'પશ્ચિમ કિનારાનું મેદાન' એમ બે ભાગમાં વહેંચવમાં આવ્યા છે.