× logo
  • Loading...

Latest Blogs

પર્યાવરણઃ જૈવિક ઘટકો

  •  GPSC 3     Subject
પર્યાવરણઃ જૈવિક ઘટકો

પર્યાવરણઃ-

વનસ્પતિપ્રાણીઓ અને માનવસર્જિત સહિત બધાં સજીવો અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પરિસરને પર્યાવરણ કહે છે. નિવસન તંત્ર જૈવિક અને અજૈવિક સમુદાયોનું બનેલું હોય છે. નિવસન તંત્રમાં કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો મુખ્ય હોય છે. તે નાનું કે મોટું હોઈ શકે. નિવસનતંત્ર જલજ અને સ્થળજ હોય છે.

નિવસનતંત્રો મુખ્યત્વે બે ઘટકો ધરાવે છે : જૈવિક અને અજૈવિક.

- બધાં જ સજીવો નિવસનતંત્રના જૈવિક ઘટકો છે. જ્યારે અજૈવિક ઘટકોમાં ભૂમિપાણીપ્રકાશતાપમાનપવનભેજવરસાદવગેરેનો સમાવેશ થાય છે.

જૈવિક ઘટકોઃ-

તેના સજીવોને બે પ્રકારમાં વિભાજિત કરી શકાય. ઉત્પાદકો અને ઉપભોક્તા. ઉત્પાદક સજીવો સ્વયંપોષી છે. તેઓ નીલરસ ધરાવે છે અને પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. વનસ્પતિ અને લીલ આ પ્રકારનો ભાગ ભજવે છે.

ઉપભોક્તાઓ પોતાનો ખોરાક જાતે તૈયાર કરતા નથી. પરંતુ તેઓ તેના માટે બીજા સજીવો પર આધાર રાખે છે. તેને ચાર કક્ષામાં વહેંચી શકાય છે.

તૃણાહારી કે પ્રથમ કક્ષાના ઉપભોગી : તેઓ લીલી વનસ્પતિઓનો ઉપયોગ કરે છે અને તેમાંથી ખોરાક મેળવે છે.

માંસાહારી કે દ્વિતીય કક્ષાના ઉપભોગી : તેઓ તૃણાહારી કે અન્ય માંસાહારી પ્રાણીનું ભક્ષણ કરે છે. તેઓ દ્વિતીય કક્ષાના ઉપભોગી કહે છે. અન્ય માંસાહારી પ્રાણીનો ઉપભોગ કરનારા ઉચ્ચ કક્ષાના ઉપભોગી કહેવાય છે.

મિશ્રાહારી સજીવો : તેઓ માંસાહારી અને શાકાહારી વનસ્પતિનો ઉપભોગ કરે છે.

વિઘટકો : તેઓ પ્રાણી અને વનસ્પતિના મૃત શરીર દ્વારા પોતાની પોષક જરૂરિયાતો પૂર્ણ કરે છે. તેઓ કાર્બનીક પદાર્થોનું અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે છે.

 

whatsapp