આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ
- GPSC 3 Subject
આનુવંશિકતા એટલે લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતુ સાતત્ય.
·
દરેક
સજીવો અલિંગી કે લિંગી પ્રજનન કરે છે. જેના દ્વારા તે નવી પેઢીને જન્મ આપે છે. આ
નવી પેઢી પિતૃઓ સાથે ગાઢ મળતી આવી શકે પરંતુ મળતી નથી. જેને ઉત્ક્રાંતિ કહે છે.
·
આનુવંશિકતા એટલે લક્ષણોનું એક પેઢીમાંથી
બીજી પેઢીમાં થતુ સાતત્ય. મેન્ડલ
નામના વૈજ્ઞાનિકે વટાણા પર પ્રયોગ કરીને આનુવંશિકતાના નિયમો બનાવ્યા હતા.
મનુષ્યમાં લિંગ નિશ્વયન:
·
જનીનો DNA ઉપર ક્રમબદ્ધ
રીતે ગોઠવાયેલ હોય છે.
·
માનવમાં લિંગ નિશ્વયન રંગસુત્રો પર આવેલા જનીનો કરે છે. જે
પિતૃઓ દ્વારા વારસામાં મળે છે.
·
માનવમાં 23 જોડ
રંગસુત્રો આવેલા હોય છે. કુલ 46 હોય. તેમાંથી 22 જોડને દૈહિક સુત્રો કહે છે. જે નર અને માદામાં સમાન હોય છે.
·
માદામાં 23મી જોડમાં બંને X લિંગી રંગસુત્રો
સરખા હોય છે.
·
નરમાં
23મી જોડના લિંગી રંગસુત્રોમાં એક રંગસુત્ર માદાનાં રંગસુત્ર જેવુ X પ્રકારનું
હોય છે. જ્યારે તેના સમજાત રંગસુત્રમાં નાના કદનું Y રંગસુત્ર
હોય છે.
·
શુક્રકોષો 50% X અને 50% Y રંગસુત્રો હોય
છે. જ્યારે અંડકોષો 100% X રંગસુત્રો
ધરાવે છે. જ્યારે X રંગ્સુત્ર ધરાવતા શુક્રકોષો અંડકોષને ફલિત કરે તો
તેમાંથી વિકાસ પામતા માદા(X+X) બને છે.
·
જ્યારે
Y રંગસુત્રો ધરાવતું શુક્રકોષ અંડકોષને ફલિત કરે તો
તેમાંથી વિકાસ પામતા નર (X+Y) બને છે. આમ, રંગસુત્રોની સુચી જોડ
બાળકની જાતિ નક્કી કરે છે.