ગુજરાતનાં જિલ્લાઓ - મહીસાગર જિલ્લો , મહેસાણા જિલ્લો
- GPSC 3 Subject
મહીસાગર જિલ્લો , મહેસાણા જિલ્લો
(25) મહીસાગર જિલ્લો :
1. લુણાવાડા : જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેરનું નામ ‘લુણેશ્વર’ મહાદેવના મંદિર પરથી પડ્યું છે. પાંડવો વનવાસ દરમિયાન અહીંના મંદિરમાં રહ્યા હતા તેવી લોકમાન્યતા છે. આ ઉપરાંત ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ, જવાહર ગાર્ડન, કાલકા માતાની ટેકરી, ત્રિવેણી સંગમ જોવાલાયક સ્થળો છે.
2. રૈયાલી : બાલાસિનોરથી 10 કિમીના અંતરે આવેલા આ સ્થળેથી પ્રાગ્ ઐતિહાસિક સમયનાં મહાકાય પ્રાણીઓનાં અસ્થિર – અશ્મકો મળી આવ્યાં હતાં. સમગ્ર વિશ્વમાં ડાયનાસોરનાં ઇંડાં પહેલી વાર આ જગ્યાએથી મળ્યાં હતાં.
3. વીરપુર : જૂનું સોલંકી સમયનું સંસ્થાન હતું. અહીં શ્રી ગોકુળનાથજીનાં પગલાં અને પવિત્ર દરગાહે શરીફ છે.
4. બાલાસિનોર : બાબરી વંશના રાજાઓનું રજવાડું હતું. નવાબનો ગાર્ડન પેલેસ જોવાલાયક છે.
(26) મહેસાણા જિલ્લો :
1. મહેસાણા : જિલ્લાનું મુખ્ય મથક છે. અહીંની ‘દૂધસાગર ડેરી’ અને ‘સીમંધર જૈન દેરાસર’ પ્રખ્યાત છે. મહેસાણાની ભેંસો વખણાય છે. પશુદાણ માટે જાણીતું છે.
2. તારંગા : બૌધ્દ્વધર્મીઓની દેવી તારાના નામ પરથી ઓળખાતા તારંગા ડુંગર પર કુમારપાળના સમયમાં બંધાયેલ અજિતનાથનું જૈન મંદિર આવેલું છે. આ ઉપરાંત તારણ માતાનું મંદિર અને હનુમાનજીનું મંદિર છે.
3. મોઢેરા : પુષ્પાવતી નદીના કિનારે આવેલા પ્રાચીન સૂર્યમંદિર માટે મોઢેરા જાણીતું છે. રાજા ભીમદેવના સમયમાં બંધાયેલું આ મંદિર મધ્ય યુગની શિલ્પકલાનો ઉત્તમ નમૂનો છે. મોઢેરાનું સૂર્યમંદિર સભાગૃહ તથા ગર્ભગૃહની કોતરણીથી શોભાયમાન છે. મંદિરની સામે રામકુંડની ચારે બાજુ પગથિયાં છે. મોઢ જ્ઞાતિની કુળદેવી મોઢેશ્વરી માતાનું મંદિર પણ પ્રખ્યાત છે.
4. વડનગર : વડનગર નાગરોનું આ મૂળ વતન છે. અહીં નાગરોના કુળદેવતા હાટકેશ્વર મહાદેવનું પ્રાચીન વિશાળ મંદિર છે. અહીં રાજય સરકાર તરફથી તાના-રીરીની સમાધિ પાસે પ્રતિવર્ષ શાસ્ત્રીય સંગીતના ખ્યાતનામ કલાકારોનો મેળો ભરાય છે. વડનગરના અર્જુનબારી દરવાજામાં આવેલા શિલાલેખમાં વડનગરની ભવ્યતાનું વર્ણન છે. વડનગરની મધ્યમાં ‘શર્મિષ્ઠા તળાવ’ અને ‘શામળશાની ચોરી’ નામે ઓળખાતાં બે તોરણો છે. 14 મીટર ઊંચો કીર્તિસ્તંભ તેમજ શહેરને ફરતો કોટ તથા દરવાજાના ખંડેરો વડનગરના ભવ્ય ભૂતકાળનો અણસાર આપે છે.
5. શંકુઝ વોટર પાર્ક : મહેસાણાથી 10 કિમી દૂર અમીપુરા ગામ પાસે 75 એકર વિસ્તારમાં અનેક રાઇડ્ઝ ધરાવતો આ વોટર પાર્ક આવેલો છે.
6. ઊંઝા : અહીં કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાનું ભવ્ય મંદિર છે. જીરું, વરિયાળી અને ઇસબગૂલનું વિશ્વનું સૌથી મોટું બજાર છે.
7. વિસનગર : આ નગર વિશળદેવ વાઘેલાએ વસાવેલું છે. અહીં તાંબા-પિત્તળનાં વાસણોનો ઉદ્યોગ વિકસ્યો છે. વિસનગર નાગરોનું આ મૂળ વતન છે.
8. બહુચરાજી : અહીંનું બહુચરાજી માતાનું મંદિર ગુજરાતનું પ્રાચીન દેવીતીર્થ શક્તિપીઠ છે. 15 મીટર લાંબા અને 11 મીટર પહોળા પથ્થરના આ મંદિરમાં સુંદર કોતરણી છે. અહીં કિન્નરોની ગાદી છે.
9. ઐઠોર : ગણપતિનું સુપ્રસિધ્દ્વ મંદિર છે.
10. આસજોલ : અહીં આવેલું કુન્તા માતાનું મંદિર ભારતનું એકમાત્ર મંદિર હોવાનું કહેવાય છે.
11. વિજાપુર : અહીંનું ભવ્ય જૈન દેરાસર યાત્રાળુઓથી ધમધમતું રહે છે.
12. કડી : મધ્યમાં આવેલો કિલ્લો, રંગમહેલ, મેલડી માતાનું મંદિર, યવતેશ્વર મહાદેવ વગેરે જોવાલાયક છે.